What do not plans investment?
રોકાણનાં આયોજનમાં કેટલીક વાત એવી પણ છે કે જે તમારે ન કરવી જોઇએ. તેના કારણે તમારો પોર્ટફોલિયો તો સારો રહે જ છે સાથેસાથે તમને સારું વળતર પણ મળે છે. ચાલો આજે રોકાણ વખતે તમારે શું ન કરવું જોઇએ તેની જાણકારી આપીએ
૧. માત્ર વળતર માટે રોકાણ ન કરો
વળતર કે લાભ એવી વસ્તુ છે કે જેના માટે લોકો રોકાણ કરે છે. સામાન્ય રોકાણકારોનાં મનમાં સવાલ એ હોય છે કે આજકાલ તેમણે ક્યાં રોકાણ કરવું જોઇએ. આ ચક્કરમાં તેઓ ઇક્વિટી, ડેટ વગેરેમાં રોકાણ કરીને નાણાંની ઉથલ-પાથલ કરતા રહે છે. આવી સ્થિતિમાં તેમને કોઈ જગ્યાએથી યોગ્ય વળતર મળી શકતું નથી. આ મનોવૃત્તિ લગભગ તમામ રોકાણકારોમાં હોય છે. વધુમાં વધુ વળતર મેળવવા માટે રોકાણ કરવાની તેમની શોધ ક્યારેય પૂરી નથી થતી. આ પ્રકારનો વ્યવહાર તમારો પોર્ટફોલિયો બગાડી શકે છે અને તમે એવું રોકાણ કરવાની ભૂલ કરી શકો છો કે જ્યારે બજાર ઉચ્ચ સ્તર ઉપર હોય.
૨. સંબંધને કારણે રોકાણ ન કરો
મેં મારી કારકિર્દીમાં કોઈ એવો રોકાણકાર નથી જોયો કે જેણે સંબંધના કારણે ક્યારેય રોકાણ ન કર્યું હોય. તેની પાછળ કોઈ મિત્ર, કાકા, ભત્રીજો કે અન્ય કોઈ પણ હોઈ શકે છે. કોઈ સંબંધી પાસેથી રોકાણ કરવામાં નુકસાન કે સમસ્યા નથી થતી. પરંતુ આવું રોકાણ સંબંધને કારણે નહીં પરંતુ સમજી વિચારીને કરવું જોઇએ તેમજ એ પણ જોવું જોઇએ કે તમારા રોકાણ પ્રોફાઇલ અનુસાર આ રોકાણ સુવિધાજનક હોવું જોઇએ. ઘણી વખત લોકો સંબંધમાં ખેંચાઈને રોકાણ કરતા હોય છે. આ રોકાણ તેમના માટે સુવિધાજનક ન હોય અને જે વ્યક્તિને કારણે તેમણે રોકાણ કર્યું હોય તે જાણતા હોવા છતાં પણ તેમણે તેમનું રોકાણ યથાવત્ રાખવું પડે છે.
૩. કર બચાવવા રોકાણ ન કરો
કરવેરાની બચત કરવા માટે પણ ઘણા લોકો રોકાણ કરવાની ભૂલ કરે છે. આવકવેરાની કલમ ૮૦ અંતર્ગત રૂ. ૧ લાખ સુધીનાં રોકાણ ઉપર કરમુક્તિ મળે તે માટે લગભગ ૮૦ ટકા લોકો રોકાણ કરતા હોય છે. આવું રોકાણ સાવચેતીપૂર્વક કરવામાં આવવું જોઇએ. કર આયોજનને બીજી પ્રાથમિકતા આપવી જોઇએ. કલમ ૮૦ સી અંતર્ગત કરલાભ મળે તે માટે રોકાણના અનેક વિકલ્પ છે.
૪. લક્ષ્ય વિના રોકાણ ન કરો
લક્ષ્ય તમારા બચતની દિશા નક્કી કરે છે. તેના કારણે રોકાણનો સમય નક્કી કરવામાં મદદ મળે છે. જ્યાં સુધી તમે તમારા રોકાણનું લક્ષ્ય નક્કી ન કરો ત્યાં સુધી તમે ખોટી જગ્યાએ રોકાણ કરી દો તેવી શક્યતા વધી જાય છે.
પ. સલાહકારને ફી આપતા ન અચકાવ
તમારા રોકાણ માટે નાણાકીય સલાહકાર નિષ્પક્ષ રહે તે માટે તેને ફી આપતાં સંકોચ ન અનુભવો. તેના કારણે નાણાકીય સલાહકાર પોતાના ફાયદા કરતાં તમારા ફાયદા અંગે વિચારશે.
૧. માત્ર વળતર માટે રોકાણ ન કરો
વળતર કે લાભ એવી વસ્તુ છે કે જેના માટે લોકો રોકાણ કરે છે. સામાન્ય રોકાણકારોનાં મનમાં સવાલ એ હોય છે કે આજકાલ તેમણે ક્યાં રોકાણ કરવું જોઇએ. આ ચક્કરમાં તેઓ ઇક્વિટી, ડેટ વગેરેમાં રોકાણ કરીને નાણાંની ઉથલ-પાથલ કરતા રહે છે. આવી સ્થિતિમાં તેમને કોઈ જગ્યાએથી યોગ્ય વળતર મળી શકતું નથી. આ મનોવૃત્તિ લગભગ તમામ રોકાણકારોમાં હોય છે. વધુમાં વધુ વળતર મેળવવા માટે રોકાણ કરવાની તેમની શોધ ક્યારેય પૂરી નથી થતી. આ પ્રકારનો વ્યવહાર તમારો પોર્ટફોલિયો બગાડી શકે છે અને તમે એવું રોકાણ કરવાની ભૂલ કરી શકો છો કે જ્યારે બજાર ઉચ્ચ સ્તર ઉપર હોય.
૨. સંબંધને કારણે રોકાણ ન કરો
મેં મારી કારકિર્દીમાં કોઈ એવો રોકાણકાર નથી જોયો કે જેણે સંબંધના કારણે ક્યારેય રોકાણ ન કર્યું હોય. તેની પાછળ કોઈ મિત્ર, કાકા, ભત્રીજો કે અન્ય કોઈ પણ હોઈ શકે છે. કોઈ સંબંધી પાસેથી રોકાણ કરવામાં નુકસાન કે સમસ્યા નથી થતી. પરંતુ આવું રોકાણ સંબંધને કારણે નહીં પરંતુ સમજી વિચારીને કરવું જોઇએ તેમજ એ પણ જોવું જોઇએ કે તમારા રોકાણ પ્રોફાઇલ અનુસાર આ રોકાણ સુવિધાજનક હોવું જોઇએ. ઘણી વખત લોકો સંબંધમાં ખેંચાઈને રોકાણ કરતા હોય છે. આ રોકાણ તેમના માટે સુવિધાજનક ન હોય અને જે વ્યક્તિને કારણે તેમણે રોકાણ કર્યું હોય તે જાણતા હોવા છતાં પણ તેમણે તેમનું રોકાણ યથાવત્ રાખવું પડે છે.
૩. કર બચાવવા રોકાણ ન કરો
કરવેરાની બચત કરવા માટે પણ ઘણા લોકો રોકાણ કરવાની ભૂલ કરે છે. આવકવેરાની કલમ ૮૦ અંતર્ગત રૂ. ૧ લાખ સુધીનાં રોકાણ ઉપર કરમુક્તિ મળે તે માટે લગભગ ૮૦ ટકા લોકો રોકાણ કરતા હોય છે. આવું રોકાણ સાવચેતીપૂર્વક કરવામાં આવવું જોઇએ. કર આયોજનને બીજી પ્રાથમિકતા આપવી જોઇએ. કલમ ૮૦ સી અંતર્ગત કરલાભ મળે તે માટે રોકાણના અનેક વિકલ્પ છે.
૪. લક્ષ્ય વિના રોકાણ ન કરો
લક્ષ્ય તમારા બચતની દિશા નક્કી કરે છે. તેના કારણે રોકાણનો સમય નક્કી કરવામાં મદદ મળે છે. જ્યાં સુધી તમે તમારા રોકાણનું લક્ષ્ય નક્કી ન કરો ત્યાં સુધી તમે ખોટી જગ્યાએ રોકાણ કરી દો તેવી શક્યતા વધી જાય છે.
પ. સલાહકારને ફી આપતા ન અચકાવ
તમારા રોકાણ માટે નાણાકીય સલાહકાર નિષ્પક્ષ રહે તે માટે તેને ફી આપતાં સંકોચ ન અનુભવો. તેના કારણે નાણાકીય સલાહકાર પોતાના ફાયદા કરતાં તમારા ફાયદા અંગે વિચારશે.