Understand between Tax and Savings
ટેક્સ પ્લાનીંગ એવી બાબત છે કે જેને ધણા લોકો યોગ્ય રીતે સમજી શકતા નથી. મોટા ભાગના કરદાતા માને છે કે તેઓ અમુક પોલિસી અથવા કલમ ૮૦ સી હેઠળની વિવિધ યોજનાઓમાં રોકાણ કરે એટલે ટેક્સ પ્લાનીંગની કામગીરી પૂરી થઇ ગઇ ગણાય. જો કે આ માત્ર રોકાણ છે, પ્લાનીંગ નથી. રોકાણએ આયોજનની ક્વાયતનો સૌથી નાનો હિસ્સો છે. વાસ્તવમાં આપણે તેને આયોજનની ક્વાયતનો હિસ્સો પણ ગણવો ન જોઇએ. તે માત્ર રોકાણ પૂર્ણ કરવાની ઔપચારિક કામગીરી છે.
આ ઉપરાંત, આજે તમે જે ચેક લખો છો તેની આવતીકાલે તમારી નાણાંકીય સ્થિતિ પર ભારે અસર પડવાની હોય છે. તેથી તમે શું કરો છો તેની પૂરેપૂરી જાણકારી અને સમજણ હોવી જરૂરી છે. ધારો કે તમે તમારી નોકરી અંગે ખુબ ગંભીર છો, તેથી તમે દિવસનો મોટો ભાગ સખત મહેનત કરવા પાછળ અને ઉત્તમ પ્રદર્શન કરવા માટે ખર્ચશો. તેના બદલામાં તમને પગાર મળે છે. સ્વરોજગાર ધરાવતા લોકો માટે પણ આવું જ છે. તમારી આવકમાંથી તમે પોતાના માટે અને પરિવારજનોના ભવિષ્ય માટે બચત કરો છો.
સૌ પ્રથમ, કરકપાતની મહત્તમ મર્યાદા (રોકાણને લગતી) રૂ.૧,૦૦,૦૦૦ છે. વર્ષ દરમિયાન તમારા પગારમાંથી પ્રોવિડન્ડ ફંડ પેટે કાપવામાં આવેલી રકમને આ એક લાખ રૂપિયામાંમાંથી બાદ કરો.
આપણે એક નોકરિયાત વ્યક્તિનું ઉદાહરણ લઇએ : વર્ષ દરમિયાન તેનું પીએફ રૂ.૬૦૦૦૦ હતું અને તે તેના માતાપિતા સાથે રહેતો હતો. તેથી તેણે મર્યાદા સુધી પહોંચવા માટે વધુ રૂ.૪૦ હજારનું (રૂ.૧,૦૦,૦૦૦-૬૦,૦૦૦) રોકાણ કરવાનું છે. તે આ રૂ.૪૦ હજારનું રોકાણ વિવિધ યોજનાઓમાં કરી શકે છે. તેમાં બેન્ક ડિપોઝીટ, જીવન વિમો, એનએસસી, પીપીએફ, ઇઅએલએસઅએસ (ટેક્સ બચત માટેના મ્યુ. ફંડ) પોસ્ટ ઓફિસ ડિપોઝીટ વગેરે સામેલ છે. જગ્યાના અભાવે આપણે આ દરેક યોજનાઓના ફાયદા અને ગેરફાયદાની વાત કરી શકતા નથી. તેથી આપણે યુવા વ્યવસાયિકો માટે સીધા મુદ્દાની વાત કરીએ.
બાકીની બધી વાતોની અવગણના કરીને ઇએલએસએસ અને પીપીએફમાં સંયુક્ત રીતે રોકાણ કરો. તમે હજુ યુવાન હોય અને શરઊઆત જ કરી હોય તો ૭૦ ટકા રકમ ઇએલએસએસમાં અને ૩૦ ટકા પીપીએફમાં મૂકો.આપણે આપણી આવકમાંથી જે રકમ બચાવીએ તેને બચત કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો આવકમાંથી ખર્ચની બાદબાકી એટલે બચત. હવે ધારણા ખાતર જણાવો કે આવકમાંથી બચત બાદ કરીએ તો ખર્ચ થાય ?હવે ટેક્સ સેવિંગ્સનું કામ થઇ ગયું છે તેથી આપણે આગળ વધીએ એક હદથી આગળ ટેક્સ સેવિંગ્સ શક્ય નથી. તેથી ટેક્સ બચાવવાની ચિંતા કરવાના બદલે ટેક્સ પછી મહત્તમ આવક મેળવવા પર ધ્યાન આપો. તમે તે કેવી રીતે કરી શકો ? માનસિકતામાં સામાન્ય ફેરફાર કરીને આ શક્ય છે. સામાન્ય રીતે આપણી આવકમાંથી જે રકમ બચાવીએ તેને બચત કહેવાય છે. બીજા શબ્દોમાં આવક-ખર્ચ = બચત. હવે એક સમીકરણ બદલાયું નથી, પરંતુ તેને નાણાંકીય રીતે વધુ કાર્યક્ષમ બનાવવામાં આવ્યું છે.
તેથી આગામી મહિનાથી તમે તમારી આવકમાંથી કેટલી રકમ બચાવવા માંગો છો તે પહેલેથી નક્કી કરી લો અને બાકી રહેતી રકમ આપોઆપ ખર્ચ માટે ઉપલબધ્ધ રકમ હશે. તમે વધારે પડતું મહત્વકાંક્ષી લક્ષ્યાંક ન બાંધવાની કાળજી રાખો નહીંતર તમે નાણાંભીડમાં મુકાઇ જશો અને લાંબા સમય સુધા આ પ્રક્રિયા નહીં ચાલે. તેથી નાના પાયે શરૂઆત કરો અને શક્ય હોય ત્યાં સુધી એડજસ્ટ થવાનો પ્રયાસ કરો. અંતમાં એટલું જ કહીએ કે ઉપર નક્કી કરવામાં આવેલ સિધ્ધાંત માત્ર પગારદાર વર્ગને જ નહીં, પરંતુ એવા તમામ લોકોને લાગુ થાય છે જેઓ છેલ્લી ઘડી સુધી રાહ જુએ છે.
આ ઉપરાંત, આજે તમે જે ચેક લખો છો તેની આવતીકાલે તમારી નાણાંકીય સ્થિતિ પર ભારે અસર પડવાની હોય છે. તેથી તમે શું કરો છો તેની પૂરેપૂરી જાણકારી અને સમજણ હોવી જરૂરી છે. ધારો કે તમે તમારી નોકરી અંગે ખુબ ગંભીર છો, તેથી તમે દિવસનો મોટો ભાગ સખત મહેનત કરવા પાછળ અને ઉત્તમ પ્રદર્શન કરવા માટે ખર્ચશો. તેના બદલામાં તમને પગાર મળે છે. સ્વરોજગાર ધરાવતા લોકો માટે પણ આવું જ છે. તમારી આવકમાંથી તમે પોતાના માટે અને પરિવારજનોના ભવિષ્ય માટે બચત કરો છો.
સૌ પ્રથમ, કરકપાતની મહત્તમ મર્યાદા (રોકાણને લગતી) રૂ.૧,૦૦,૦૦૦ છે. વર્ષ દરમિયાન તમારા પગારમાંથી પ્રોવિડન્ડ ફંડ પેટે કાપવામાં આવેલી રકમને આ એક લાખ રૂપિયામાંમાંથી બાદ કરો.
આપણે એક નોકરિયાત વ્યક્તિનું ઉદાહરણ લઇએ : વર્ષ દરમિયાન તેનું પીએફ રૂ.૬૦૦૦૦ હતું અને તે તેના માતાપિતા સાથે રહેતો હતો. તેથી તેણે મર્યાદા સુધી પહોંચવા માટે વધુ રૂ.૪૦ હજારનું (રૂ.૧,૦૦,૦૦૦-૬૦,૦૦૦) રોકાણ કરવાનું છે. તે આ રૂ.૪૦ હજારનું રોકાણ વિવિધ યોજનાઓમાં કરી શકે છે. તેમાં બેન્ક ડિપોઝીટ, જીવન વિમો, એનએસસી, પીપીએફ, ઇઅએલએસઅએસ (ટેક્સ બચત માટેના મ્યુ. ફંડ) પોસ્ટ ઓફિસ ડિપોઝીટ વગેરે સામેલ છે. જગ્યાના અભાવે આપણે આ દરેક યોજનાઓના ફાયદા અને ગેરફાયદાની વાત કરી શકતા નથી. તેથી આપણે યુવા વ્યવસાયિકો માટે સીધા મુદ્દાની વાત કરીએ.
બાકીની બધી વાતોની અવગણના કરીને ઇએલએસએસ અને પીપીએફમાં સંયુક્ત રીતે રોકાણ કરો. તમે હજુ યુવાન હોય અને શરઊઆત જ કરી હોય તો ૭૦ ટકા રકમ ઇએલએસએસમાં અને ૩૦ ટકા પીપીએફમાં મૂકો.આપણે આપણી આવકમાંથી જે રકમ બચાવીએ તેને બચત કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો આવકમાંથી ખર્ચની બાદબાકી એટલે બચત. હવે ધારણા ખાતર જણાવો કે આવકમાંથી બચત બાદ કરીએ તો ખર્ચ થાય ?હવે ટેક્સ સેવિંગ્સનું કામ થઇ ગયું છે તેથી આપણે આગળ વધીએ એક હદથી આગળ ટેક્સ સેવિંગ્સ શક્ય નથી. તેથી ટેક્સ બચાવવાની ચિંતા કરવાના બદલે ટેક્સ પછી મહત્તમ આવક મેળવવા પર ધ્યાન આપો. તમે તે કેવી રીતે કરી શકો ? માનસિકતામાં સામાન્ય ફેરફાર કરીને આ શક્ય છે. સામાન્ય રીતે આપણી આવકમાંથી જે રકમ બચાવીએ તેને બચત કહેવાય છે. બીજા શબ્દોમાં આવક-ખર્ચ = બચત. હવે એક સમીકરણ બદલાયું નથી, પરંતુ તેને નાણાંકીય રીતે વધુ કાર્યક્ષમ બનાવવામાં આવ્યું છે.
તેથી આગામી મહિનાથી તમે તમારી આવકમાંથી કેટલી રકમ બચાવવા માંગો છો તે પહેલેથી નક્કી કરી લો અને બાકી રહેતી રકમ આપોઆપ ખર્ચ માટે ઉપલબધ્ધ રકમ હશે. તમે વધારે પડતું મહત્વકાંક્ષી લક્ષ્યાંક ન બાંધવાની કાળજી રાખો નહીંતર તમે નાણાંભીડમાં મુકાઇ જશો અને લાંબા સમય સુધા આ પ્રક્રિયા નહીં ચાલે. તેથી નાના પાયે શરૂઆત કરો અને શક્ય હોય ત્યાં સુધી એડજસ્ટ થવાનો પ્રયાસ કરો. અંતમાં એટલું જ કહીએ કે ઉપર નક્કી કરવામાં આવેલ સિધ્ધાંત માત્ર પગારદાર વર્ગને જ નહીં, પરંતુ એવા તમામ લોકોને લાગુ થાય છે જેઓ છેલ્લી ઘડી સુધી રાહ જુએ છે.